આત્મા પરમાત્મા
પ્રાણીજ કોષ જીવિત છે.મનુષ્ય બહુ કોષો નો બનેલો છે.દેહ માં અનેક કોષો છે.કોષો ના સમૂહ છે. એટલે જ જીવ આત્મા નથી.સાક્ષી છે.સુખ દુઃખ ભોગવે છે.તેને મન છે.મન પોતે આત્મા નથી.પણ મન આત્મા થઈ પ્રકાશે છે. આત્મા પરમાત્મા નથી પણ પરમાત્મા નો અંશ છે.જેમ સૂર્ય ના કિરણો!!.સૂર્ય ને પરમાત્મા સમજો અને કિરણ ને આત્મા !! એમ અનેક આત્મા ઓ હોવા છતાંય એક જ પરમાત્મા નો ભાગ છે. વારંવાર મેં સમજાવવા કોશિશ કરી છે. ઘણા મોટા આશ્રમો વાળા ઓ પણ આ વાત ખૂબ જ સરળ હોવા છતાંય સમજી શકતા નથી નથી સમજાવી શકતા!! જે આશ્ચર્ય છે. અધ્યાતમ ક્લિષ્ટ નથી સરળ છે . મારા મેડિટેશન પ્રોગ્રામ માં ઘણીવાર આ સમજાવ્યું છે. જ્યોતિષ આધ્યાત્મ અને વિજ્ઞાન આ ત્રણ ને જાણ્યા સિવાય વાસ્તવિકતા સમજવી કઠિન છે.